અનુસૂચિત જાતિના નાના વેપારીઓ માટે દુકાન / વ્યવસાય સ્થળ ખરીદી સહાય યોજના

સરકારી યોજના

SC લઘુ ઉદ્યોગ માલિકોને દુકાન/વ્યવસાયનું સ્થળ ખરીદવા માટેની યોજના

આ યોજના અનુસૂચિત જાતિના લોકોને તેમના ધંધાનો વિકાસ કરવા માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું યોગ્ય સ્થળ/દુકાન ખરીદવા માટે બેંક દ્વારા લોન અને સહાય પૂરી પાડે છે.

યોજનાનો હેતુ

  • શહેરી વિસ્તારમાં વ્યવસાય માટે સ્થળ/દુકાન ખરીદવા માટે બેંક દ્વારા ₹10.00 લાખ સુધીની લોન મળે છે.
  • લોન સાથે ₹15,000 સબસિડી સહાય આપવામાં આવે છે.
  • લાભાર્થીને ફક્ત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાય માટે લોન આપવામાં આવશે.
  • શિક્ષિત બેરોજગાર, બેકાર મીલ કામદાર, તાંત્રિક અને વ્યવસાયિક અનુભવ ધરાવતા અને સ્વરોજગારીની લાયકાત ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • લોન પર વ્યાજનો 4% ભાગ લાભાર્થીએ ભરશે, તે ઉપરના વ્યાજ માટે સરકાર 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપશે.
  • રાજ્ય સરકાર અથવા સ્થાનિક સ્વરાજ્ય/નગર પંચાયત દ્વારા ફાળવેલ લાંબા ગાળાના ભાડાના દુકાનો માટે પણ લોન/સહાય આપવામાં આવશે, પરંતુ તેટલાં સમય સુધી દુકાન મોર્ગેજ રહેશે ત્યાં સુધી લોન ચૂકવવી પડશે.
  • જમીનમાં બાંધકામ કરનાર અરજદાર માટે જમીનના ટાઇટલ અને “બીનખેતી” હોવાની પુષ્ટિ જરૂરી છે.

નિયમો અને શરતો

  • કોઈ આવક મર્યાદા લાગુ નથી.
  • ફક્ત એક જ વ્યવસાય/દુકાન માટે લોન આપવામાં આવશે.
  • બાજપેયી બેંકેબલ યોજના અને કુટીર ઉદ્યોગમાં ચાલતી બેંકેબલ યોજના હેઠળ આ યોજના અમલમાં છે.
  • દુકાન શરૂથયાના 3 માસ પછી સબસિડી ચૂકવવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો

  • અરજદારનું આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ એક)
  • અરજદારનો જાતિ/પેટા જાતિનો પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી પાસેથી)
  • જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યા નું પ્રમાણ પત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • કરાર અથવા બાનાખતની નકલ
  • બાંહેધરી પત્રક (નોટરાઇઝ સોગધનામું)

ફોર્મ અને એપ્લિકેશન