અનુસૂચિત જાતિ સરકારી છાત્રાલય પ્રવેશ યોજના

સરકારી યોજના

SC Government છાત્રાલય પ્રવેશ માર્ગદર્શિકા

મૂળ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ માટે સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટેની નિયમો અને શરતો નીચે મુજબ છે:

પ્રવેશ માટે લાયકાત

  • છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ ૧૦ પાસ (ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ / CBSE) અથવા તે પછીનો ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થી લાયક ગણાશે.
  • કુમાર છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 2,50,000 છે; કન્યા છાત્રો માટે આવક મર્યાદા લાગુ નથી.
  • તમામ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે છેલ્લી વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોવા જરૂરી છે.
  • જ્યાં મેથ્રિક માર્ક્સ 50% કે તેથી વધુ હોય, તેમાં મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
  • ડિસ્ટન્સ લર્નિંગ અભ્યાસક્રમના આધારે પ્રવેશ માટે લાયક નથી.

પ્રવેશ પ્રક્રિયા અને નિયમો

  • જુના વિદ્યાર્થીઓએ નવા વર્ષે પણ ઑનલાઇન અરજી કરવી ફરજિયાત છે.
  • પ્રવેશના સમયે વિદ્યાર્થી અને વાલી બાહેધરી પત્રક આપી, તેનું પાલન કરવાનું રહેશે.
  • છાત્રાલય જે શહેરમાં આવેલ છે ત્યાંના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાનું નથી.
  • પ્રવેશ માત્ર તે જ જિલ્લાની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવશે જ્યાં છાત્રાલય છે.
  • વિદ્યાર્થીએ કચેરી અને સરકાર નક્કી કરેલ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • વિદ્યાર્થીનો જાતિ/પેટા જાતિનો પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી પાસેથી)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ એક)
  • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
  • ગત વર્ષે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની નકલ
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (વિદ્યાર્થીના નામનું)
  • શાળા/કોલેજમાં પ્રવેશ મળ્યાનું પત્ર
  • શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
  • વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ હોય)
  • વિધવા / ત્યક્તાના બાળકોનું પ્રમાણપત્ર (જો લાગુ હોય)
  • અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ હોય)

ફોર્મ અને એપ્લિકેશન