Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana - SC Family Death Assistance
| યોજનાનું નામ | Satyvadi Raja Harishchandra Marnotar Sahay Yojana |
|---|---|
| લક્ષ્ય લાભાર્થી | અનુસૂચિત જાતિના પરિવારના સભ્ય મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનો |
| લાભ | કુટુંબના સભ્યના મરણ પ્રસંગે ₹5,000/- નાણાકીય સહાય |
| આવક મર્યાદા | ગ્રામ્ય વિસ્તાર: ₹6,00,000/- પ્રતિ વર્ષ, શહેર વિસ્તાર: ₹6,00,000/- પ્રતિ વર્ષ |
યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના પરિવારોમાં સભ્યના મૃત્યુ પ્રસંગે મરણોત્તર ક્રિયાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડવી.
લાભાર્થી માટેના નિયમો અને શરતો
- મૃત્યુ પામનાર અને અરજદાર ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
- અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે ₹6,00,000/- અને શહેરી વિસ્તાર માટે ₹6,00,000/-થી વધુ ન હોવી જોઈએ.
- મૃત્યુના છ મહિનાના અંદર અરજી કરવી ફરજિયાત છે.
- અવસાન પામેલ વ્યક્તિનું મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવું પડશે.
- મરણ પામનાર વ્યક્તિ માટે કુટુંબમાંથી માત્ર એક જ વ્યક્તિ આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ એક)
- મરણનું પ્રમાણપત્ર
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- આધાર કાર્ડ
- વાર્ષિક આવકનો દાખલો
- સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિનો દાખલો
અરજી કેવી રીતે કરવી?
E-Samaj Kalyan Portal પર જઈને અરજી ફોર્મ ભરી શકાય છે.