બૌધ્ધિક અસમર્થ વ્યક્તિ માટે આર્થિક સહાય | Financial Assistance to Persons with Intellectual Disability
આ યોજનાનો હેતુ એ છે કે 50% કે તેથી વધુ બૌધ્ધિક અસમર્થતા ધરાવતા વ્યક્તિઓ, તેમજ સેરેબલ પાલ્સી, ઓટિઝમ અને 40% થી વધુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અને ક્રોનીક ન્યુરોલોજીકલ સ્થિતિ ધરાવનારાઓને માસિક નાણાકીય સહાય આપવામાં આવે, જેથી તેમની દૈનિક જીવનની જરૂરિયાતો પૂરી કરી શકાય.
પાત્રતા માપદંડ
- 50% કે તેથી વધુ બૌધ્ધિક અસમર્થતા ધરાવતી વ્યક્તિ
- સેરેબલ પાલ્સી, ઓટિઝમ ધરાવતા વ્યક્તિ
- 40% કે તેથી વધુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી અથવા ક્રોનીક ન્યુરોલોજીકલ સ્થિતિ ધરાવનાર વ્યક્તિ
- ઉંમર: 0 થી 79 વર્ષ
મળવાપાત્ર સહાય
- લાભાર્થીને માસિક રૂ. 1,000/- ની નાણાકીય સહાય આપવામાં આવે છે
અરજી સાથે સામેલ કરવાના દસ્તાવેજો
- રહેઠાણનો પુરાવો
- ઉંમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર / જન્મનો દાખલો)
- દિવ્યાંગ ઓળખ કાર્ડ અથવા સિવિલ સર્જનશ્રી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનો પ્રમાણપત્ર (કોઈપણ એક)
- બેંક એકાઉન્ટની વિગતો
- અધિકારી માટે આધારકાર્ડની નકલ
ફોર્મ અને એપ્લિકેશન
- ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો