Dr. Ambedkar Awas Yojana
| યોજનાનું નામ | Dr. Ambedkar Awas Yojana |
|---|---|
| લક્ષ્ય લાભાર્થી | અનુસૂચિત જાતિના ગરીબ અને ઘરવિહોણા લોકો |
| સહાય રકમ | ₹1,70,000/- ચાર હપ્તામાં, શૌચાલય માટે ₹12,000/- અલગ (જરૂર પડે તો) |
| લાભાર્થી ઉંમર | ઓછીમાં ઓછી 21 વર્ષ |
| વાર્ષિક આવક મર્યાદા | ગ્રામ્ય અને શહેરી વિસ્તાર: ₹6,00,000/- થી વધુ ન હોવી જોઈએ |
યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ગરીબી રેખા નીચે જીવન કરનારા લોકો માટે કાચું, જર્જરીત અથવા અનુકૂળ રહેઠાણ પૂરું પાડવું. જો વ્યક્તિ ખુલ્લો પ્લોટ ધરાવે કે અનુકૂળ ન રહેઠાણ ધરાવતું મકાન ધરાવે, મકાનની માલિકીની સંમતિથી મકાન બાંધવા ₹1,70,000/- ચાર હપ્તામાં આપવામાં આવશે:
- પ્રથમ હપ્તો – ₹30,000/- (વહીવટી મંજૂરી પછી)
- બીજો હપ્તો – ₹80,000/- (પ્લીન્થ લેવલ પૂર્ણ થયા પછી)
- ત્રીજો હપ્તો – ₹50,000/- (રૂફ કાસ્ટ લેવલ પૂર્ણ થયા પછી)
- ચોથો હપ્તો – ₹10,000/- (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયા પછી)
નિયમો અને શરતો
- લાભાર્થી અથવા કુટુંબના સભ્યોને અન્ય કોઈ રાજ્ય/કેન્દ્ર આવાસ યોજના હેઠળ લાભ મળ્યો ન હોવો જોઈએ.
- મકાન સહાયની ટોચ મર્યાદા: શહેરી – ₹10,00,000, ગ્રામ્ય – ₹7,00,000 (Affordable Housing Scheme માટે અલગ નિયમ લાગુ).
- પ્રથમ હપ્તાની ચુકવણી બાદ 2 વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવું ફરજીયાત.
- લાભાર્થીએ મકાન પર “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના”નો તખ્તો લગાવવો ફરજિયાત.
- શહેરી/ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક ₹6,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- જાતિ/પેટા જાતિનો દાખલો
- કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/રેશનકાર્ડમાંથી કોઈ એક)
- જમીન માલિકીનો દસ્તાવેજ / 7/12 ઉતારો / હક પત્રક / સનદ પત્રક (જ્યાં લાગુ પડે)
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / કેન્સલ ચેક
- પતિના મૃત્યુનો દાખલો (વિધવા હોય તો)
- જમીનના નકશા સહિત ચતુર્દિશા દર્શાવતી સહીવાળી નકલ
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- અગાઉ આ યોજના અથવા અન્ય આવાસ યોજના હેઠળ લાભ ન મળ્યો હોય તે અંગેનું બાહેંધરી પત્ર
- જ્યાં મકાન બાંધવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો
અરજી કેવી રીતે કરવી?
E-Samaj Kalyan Portal પર જઈને ફોર્મ ભરી શકાય છે. જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.