ડી.સી. સરકારી છાત્રાલય પ્રવેશ

સરકારી યોજના

DC Government Chhatralay Admission (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સરકારી છાત્રાલય પ્રવેશ યોજના)

યોજનાનો હેતુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) તથા આર્થિક રીતે પછાત વર્ગના મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી (ડિગ્રી/ડિપ્લોમા), આર્ટસ, કોમર્સ, સ્નાતક, અનુસ્નાતક, ઉચ્ચ અભ્યાસક્રમો તેમજ ધોરણ 11-12 ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ માટે રહેણાંક સુવિધા પૂરી પાડવાના હેતુથી સરકારી છાત્રાલયો કાર્યરત છે.

નિયમો અને શરતો

  • ફ્રેશ (નવા) વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • રીન્યુઅલ (જુના) વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • કુમાર તથા કન્યા છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 6.00 લાખ છે.
  • અરજી કરનાર વિદ્યાર્થી મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • છાત્રાલય આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.
  • છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે, તે જિલ્લામાં આવેલી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળશે.
  • ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા ચાલતા અભ્યાસક્રમોના આધારે પ્રવેશ મળશે નહીં.
  • પ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, ત્યારબાદ ખાલી જગ્યાઓ પર ફ્રેશ વિદ્યાર્થીઓને મેરીટ આધારે પ્રવેશ મળશે.
  • અરજીના વર્ષના જુલાઈ માસની 1 તારીખે વિદ્યાર્થીની ઉંમર 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.

રજુ કરવાના ડોક્યુમેન્ટ્સ

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ)
  • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
  • રીન્યુઅલ વિદ્યાર્થી માટે: ગત વર્ષના છેલ્લા બે સેમેસ્ટરની સરેરાશ ટકાવારી 50% કે તેથી વધુ (ગ્રેડેશન હોય તો સમકક્ષ ગ્રેડ)
  • ફ્રેશ વિદ્યાર્થી માટે:
    • ધો. 11/12 માટે – ધો. 10 નું પરિણામ
    • ડિપ્લોમા બાદ ડિગ્રી માટે – ડિપ્લોમા પરિણામ
    • સ્નાતક માટે – ધો. 12 નું પરિણામ
    • અનુસ્નાતક માટે – સ્નાતક અભ્યાસક્રમનું પરિણામ
  • વિદ્યાર્થીના બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ
  • શાળા / કોલેજમાં પ્રવેશ મળ્યાની ફી પહોંચ અથવા પ્રવેશ પત્ર
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  • વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  • અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)

ઉપયોગી લિંક્સ

  • ફોર્મ ભરવા માટે : esamajkalyan.gujarat.gov.in
  • સરકારી કુમાર છાત્રાલયની યાદી : (લિંક)
  • સરકારી કન્યા છાત્રાલયની યાદી : (લિંક)
  • FAQs : Click Here

મહત્વની નોંધ:
અરજીમાં અધૂરી માહિતી અથવા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ ન કરેલ હોય તો અરજી નામંજૂર થઈ શકે છે. અરજી સબમીટ કર્યા બાદ કોઈ સુધારા શક્ય નથી.