DC Adarsh Nivasi Shala Admission (આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ)
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવાની બાબતો
- અરજી કરતા પહેલા વિદ્યાર્થીએ www.esamajkalyan.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી.
- વિદ્યાર્થીએ સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ પિતા/વાલીની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે.
- અરજીમાં અધૂરી વિગતો અથવા માંગેલ ડોક્યુમેન્ટ અધૂરા હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહીં.
- અરજી સબમિટ કર્યા બાદ અરજીમાં કોઈપણ પ્રકારનો સુધારો અથવા વધારો કરી શકાશે નહીં.
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટેના માપદંડ
- આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9, 10 અને 12 માં પ્રવેશ માટે અરજી માત્ર ઓનલાઈન કરવી પડશે.
- અરજી સાથે જરૂરી તમામ પ્રમાણપત્રો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.
- પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોવા જોઈએ.
- કન્યાઓના કિસ્સામાં 45% ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકશે.
- અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (વધુ પછાત / અતિ પછાત / વિચરતી વિમુક્ત જાતિ), અપંગ, વિધવા તથા ત્યક્તા બહેનોના બાળકોના કિસ્સામાં ગત વર્ષના પરિણામમાં 45% ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
- વિદ્યાર્થીના પિતા / વાલીની વાર્ષિક આવક રૂ. 6,00,000/- સુધીની હોવી જોઈએ.
- પ્રવેશ માટે મળેલ અરજીઓ મુજબ ગુણના આધારે મેરીટ પ્રમાણે તથા સરકારશ્રીની વખતોવખતની સૂચનાઓ મુજબ પ્રવેશ આપવામાં આવશે.
આદર્શ નિવાસી શાળાઓની યાદી
- કુમાર માટેની આદર્શ નિવાસી શાળાઓની યાદી : Click Here
- કન્યા માટેની આદર્શ નિવાસી શાળાઓની યાદી : Click Here
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મળ્યા બાદ પાળવાના નિયમો
- વિદ્યાર્થીએ નીચે દર્શાવેલ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે : Rules To Follow
અરજી કરવા માટે
મહત્વની નોંધ:
અરજી કરતી વખતે તમામ માહિતી સાચી તથા પૂર્ણ હોવી અત્યંત જરૂરી છે.
સમયમર્યાદામાં પુર્તતા પૂર્ણ ન થાય અથવા ખોટી માહિતી આપવામાં આવે તો
અરજી આપોઆપ નામંજૂર થવાની શક્યતા રહેશે.