વરિષ્ઠ નાગરિકો માટે નિવાસ સુવિધા (વૃદ્ધાશ્રમ) યોજના

સરકારી યોજના

વૃદ્ધાશ્રમ (Accommodation Facility for Senior Citizens)

યોજનાનું નામ વૃદ્ધાશ્રમ
પ્રવેશ માટેની પાત્રતા ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો.
દિવ્યાંગ અથવા અશકતતાના કેસમાં, માન્ય તબીબી પ્રમાણપત્ર ઉપલબ્ધ હોય તો ૪૫ વર્ષથી વધુ વયના લાભાર્થીને પણ પ્રવેશ આપવામાં આવી શકે છે.

અરજી સાથે રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સ

  • આધાર કાર્ડ
  • મા-કાર્ડ
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ એક
  • રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ પૈકી કોઈ એક)
  • જન્મનો પુરાવો (શાળા છોડ્યા નું પ્રમાણપત્ર / જન્મનો દાખલો / મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈ એક)
  • દિવ્યાંગ અથવા અશકતતાના કેસમાં તબીબી પ્રમાણપત્ર

ફોર્મ ભરવા માટે

આ યોજના હેઠળ નિરાધાર અને જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત આવાસ, ભોજન તથા મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અરજી કરતી વખતે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાચા અને પૂર્ણ હોવા જરૂરી છે.