માઇ રામાબાઈ આંબેડકર સાત ફેરા સામૂહિક લગ્ન યોજના

સરકારી યોજના

Mai Ramabai Ambedkar Saat Phera Samuh Lagna Yojana (સાત ફેરા સમૂહલગ્ન યોજના)

લગ્ન જેવા સામાજિક પ્રસંગોમાં અનાવશ્યક ખર્ચને રોકવા અને યુગલોને આર્થિક સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. સમૂહલગ્નમાં ભાગ લેનાર યુગલો માટે યુગલદીઠ રૂ. 12,000/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ. 3,000/- સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. કુલ મર્યાદા: રૂ. 75,000/- સુધી.

યોજનાનો હેતુ

લગ્નના પ્રસંગે અનાવશ્યક ખર્ચ ઘટાડવો અને સમૂહલગ્ન દ્વારા આર્થિક રીતે યુગલોને પ્રોત્સાહિત કરવું.

નિયમો અને શરતો

  • યોજનાનો લાભ માત્ર અનુસૂચિત જાતિઓ (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓ) માટે છે.
  • વાર્ષિક આવક મર્યાદા: ગ્રામ્ય/શહેરી બંને માટે રૂ. 6,00,000/-.
  • પુનઃ લગ્ન માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.
  • કન્યાની વય: 18 વર્ષ અને યુવકની વય: 21 વર્ષ.
  • લગ્ન બાદ બે વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત.
  • સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ પણ પ્રાપ્ત કરી શકાય.
  • સમૂહલગ્નમાં ભાગ લેનાર યુગલો બંને યોજનાઓ માટે પાત્ર હોવા જોઈએ.

જરૂરી દસ્તાવેજો

સંસ્થાના દસ્તાવેજો

  • જિલ્લા નાયબ નિયામક/જિલ્લા સ.અ (અનુસૂચિત જાતિ) ને અગાઉથી લેખિત જાણ કરેલ પત્ર
  • સંસ્થાનું નોંધણી પ્રમાણપત્ર
  • આમંત્રણ પત્રિકા / કંકોત્રી
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક

યુગલના દસ્તાવેજો

  • લગ્નની કંકોત્રી
  • સમૂહલગ્નના આયોજક દ્રારા આપેલું પ્રમાણપત્ર
  • કન્યાના પિતાનો આવકનો દાખલો (સક્ષમ અધિકારીની મંજુરી સાથે)
  • યુવક/યુવતીના શાળા છોડ્યા પ્રમાણપત્રો / જન્મ નોંધણી / ઉંમરના પુરાવા / સરકારી તબીબી પ્રમાણપત્ર (કોઈપણ એક)
  • જાતિનો દાખલો

ફોર્મ અને એપ્લિકેશન